Saturday, 21 June 2014

ઝઘડો ( કાળો કકળાટ )


હમેશા પોતાની કે કોઈ એ આપણ ને કહેલી વાત ને બીજા ને કેહવી એટલે એક મોટા ધર્મ સંકટ ને નિમંત્રણ આપવું જ સમજવું , જ્યારે જ્યારે કોઈ બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થતો હોય ત્યારે એનું કારણ ત્રીજી વ્યક્તિ જ હોય છે. બીજા એ કહેલી વાત ને જ્યારે તમે ત્રીજા ને કહો છો ત્યારે આપણે એ વાત ભૂલી જતાં હોય છે કે ગમે ત્યારે આ વાત ઝઘડા નું કારણ બનશે.

 ખાસ તો સ્ત્રી ના પેટ માં કોઈ પણ વાત છુપાય શક્તિ નથી માટે કોઈ એવી વાત હોય જે કોઈ ત્રીજા વ્યક્તિ ની હોય એ કોઈ પણ સંજોગ માં બીજી સ્ત્રી ને કેવી ના જોઇયે. જે લોકો ખૂલલીને બધી વાત એમના દોસ્તો ને કહી દેતા હોય એમને લોકો ખુલ્લા દિલ નો વ્યક્તિ તરીકે ઓળખતા હોય છે . પણ જ્યારે એ બંને ને બોલવાનું (ઝઘડો) થાય ત્યારે એને તમે કહેલી વાતો એ જરૂર થી સામે વાળા ને સંભળાવસે કે પેલો તો મને આમ કેતો હતો , તેમ કેતો હતો .

 કોઈ પણ પરિવાર માં ભાઈઓ ભાઈઓ કે એમની પત્નીઓ વચ્ચે બોલાચાલી કે જઘડો થાય ત્યારે એમને કોઈ એ કહેલી વાતો દ્વારા સામસામે દલીલ સાંભળવા મળે છે જેમાં તેમના છોકરાઓ એ કહેલી વાતો હોય કે પાડોશી પાસે થી સાંભળેલી બડાશ હોય એ બધુ દલીલ બાજી માં જરૂર થી ભળે જ છે . જે વાત થી એક યા તો બીજા ને લાંબા ગાળે પણ જો નુકશાન થાય એમ હોય તો એવી વાત ક્યારેય કોઈ વ્યક્તિ ને કરવી નહીં ,વાત સાંભળતી વખતે લોકો કેહતા હોય છે કે “ મને કે ને હું કોઈ ને નહીં કહું ”. પણ આ સાંભળેલી વાત ભાગ્યે જ પેટ માં રેહતી હોય છે . હું એમ નથી કેહતો કે એ જાહેર કરી દે છે , ના એ જાહેર જ કરી દે એવું નથી પણ જ્યારે એ બંને ને કોઈ વાત એ જઘડો થશે ત્યારે ચોક્કસ એ વ્યક્તિ ને તમે કહેલી વાત સાંભળવશે.

 મૈ તો જોયેલું અને અનુભવેલું છે કે ઘર ઘર માં થતાં ઝઘડા નું મૂળ મૈન આ “ કાન ભંભેરણી ” જ હોય છે. જ્યારે સય્યુક્ત કુટુંબ માં તમે રહેતા હો અને છોકરા ઓ એમના માં-બાપ ને નાના માં નાની વાત પણ કહી દેતા હોય છે , જેમ કે  મને કાકા જ્યારે ત્યારે ખીજાય છે , મારે છે . મારી સાથે માં તો સારો વહેવાર જ નથી કરતાં , દાદા નો છોકરો (મોટો ભાઈ) મને કોઈ વસ્તુ આપતો નથી , ફલાણો આમ ને ઢીકણો આમ. જ્યારે આ બધી વાતો આમ જોવામાં નાની લાગે છે પણ આ નાની નાની વાતો થી જ ઘર માં ઝઘડા થતાં હોય છે .

 ઉપરોક્ત કહેલી વાતો સાંભળતી વખતે તો કઈ થતું નથી પણ  જ્યારે કોઈ વાતે ઝઘડો થાય છે ત્યારે આ બધી નાની નાની વાતો જ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે , ત્યારે આ સાંભળેલી વાતો અચૂક જાહેર થાય છે .

કાઠીયાવાડ એક્સ્પ્રેસ ઉવાચ :-કોઈ પણ સંજોગ એવા નથી હોતા કે બધી વાતો કોઈ ને કહી દેવી પડે. વાત ને પેટ માં રાખતા શીખો .

No comments:

Post a Comment

આપનો અમૂલ્ય પ્રતીભાવ અહી આપો, કોઈપણ પ્રકાર ની અભદ્ર કોમેંટ્સ નો ઉપયોગ ના કરવા આપ શ્રી ને વિનંતી.