આ ૨૬મી જૂને દેશમાં નાખેલી 'ઇમરજન્સી'ને ૪૦મું વર્ષ બેસશે
- ઇમરજન્સી એટલે શું ? - એ શા માટે નાંખેલી ?
- નવી પેઢી જેના વિષે જાણતી નથી અને જૂની પેઢીને જેની યાદ એક દુઃસ્વપ્ન જેવી છે
૨૬ જૂન, ૧૯૭૫
આઝાદ ભારતના ઇતિહાસમાં જેમ ગાંધીજીને ગોળી મારી કે ઇંદિરા ગાંધીને ગોળી મારી કે રાજીવ ગાંધીને બોમ્બથી માર્યા વગેરે દિવસો કાળા અક્ષરે લખાયેલા છે એમ આ દિવસ પણ કાળા અક્ષરે લખાયેલો છે કારણ કે તે દિવસે ત્યારના વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી કટોકટી લાદી હતી.
ઇમરજન્સી એટલે લોકશાહી આપણા દેશમાં છે એનો નાશ. લોકશાહીમાં જે બોલવાની છૂટ છે, છાપવાની છૂટ છે, છૂટથી બોલી ન શકો, છૂટથી હરીફરી ન શકો, છૂટથી લખી વાંચી ન શકો.
દેશ જ્યારે આંતરિક કે બાહ્ય ભયમાં હોય ત્યારે ખાસ તો ઇમરજન્સી સરકારો નાખતી હોય છે. આપણા દેશમાં ૧૯૭૫માં ઇંદિરા ગાંધીએ ઇમરજન્સી લાદેલી. નવી પેઢીને પ્રશ્ન થશે અને જૂની પેઢીને પણ યાદ નહીં હોય કે ઇમરજન્સી કેમ લાગુ કરેલી ?
ઇમરજન્સી ૨૫, જૂન ૧૯૭૫ની મધરાતથી લાગુ કરવામાં આવેલી ત્યારે જયપ્રકાશ નારાયણ જનતાના એટલે દેશના લોકપ્રિય નેતા હતા. સત્તામાં ઇંદિરા ગાંધી એટલે કે કોંગ્રેસ હતી. ૧૯૭૧માં ચૂંટણીઓ થયેલી એમાં એ રાયબરેલીમાંથી લોકસભામાં ચૂંટાયેલા એમની સામે રાજનારાયણ નામના સમાજવાદી નેતા ઉભેલા. લાલુપ્રસાદ યાદવ જેવા જોકર જેવા એ નેતા હતા પણ લોકપ્રિય હતા એ રાજનારાયણ પણ હારી ગયેલા એમણે એ ચૂંટણીમાં ધાંધલ ધમાલ કરવાના અને ઇંદિરાએ સત્તાનો ઉપયોગ કરવાના આક્ષેપો કરીને ચૂંટણી રદ કરવાનો કેસ અલ્હાબાદ હાઇકોર્ટમાં દાખલ કરેલો. એ વખતે કેસના ચુકાદાનો સમય નજદીક આવ્યો એટલે રાજકીય વર્તુળમાં અને ખાસ કરીને કોંગ્રેસી વર્તુળમાં ચર્ચા વિચારણા ચાલી કે આ કેસ માનો કે રાજનારાયણ જીતી જાય અને ઇંદિરા ગાંધી હારી જાય તો શું થાય ?
એટલે ફરી ચૂંટણી થાય અને એમાં માનો કે, ઇંદિરા ગાંધી જ હારી જાય તો શું થાય ?
એ વખતે રાહુલ ગાંધીના પિતા અને સોનિયા ગાંધીના પતિ રાજીવ ગાંધીનો નાનો ભાઈ તથા મેનકા ગાંધીનો પતિ અને વરૃણ ગાંધીનો પિતા સંજય ગાંધી રાજકારણમાં સક્રિય હતો. રાજીવ ગાંધી રાજકારણમાં નહોતા સંજય ગાંધીની નજર ઇંદિરાના વારસ તરીકે વડાપ્રધાનની ખુરશી ઉપર હતી એટલે કોર્ટમાં ઇંદિરા ગાંધી હારી જાય એ સંજય ગાંધીને કે ઇંદિરા ગાંધીને પરવડે તેમ નહોતું. વડાપ્રધાન પદ ઉપર ગમે તેમ કરીને ચીટકી રહેવાની એમની દાનત જાણીતી હતી. કોર્ટના ચુકાદાની રાહ જોવાનું નક્કી કર્યું.
૧૨ જૂન, ૧૯૭૫ના સવારના લગભગ ૧૦ વાગે અલ્હાબાદ હાઇકોર્ટના જજ જગમોહન સિંહાએ પોતાનો ચુકાદો આપ્યો. રાજનારાયણ જીત્યા અને ઇંદિરા હાર્યા. લોકસભાનું એમનું સભ્યપદ છ વર્ષ સુધી ચાલી ગયું એવો ચુકાદો અપાયો. એ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જવા માટે ૧૨ દિવસની મુદત આપી જો કે, એ વખતે કોર્ટમાં વેકેશન હતું પરંતુ કોર્ટોના નિયમ પ્રમાણે ખાસ જરૃરી કેસ માટે એક જજ હોય છે. વી. આર. કૃષ્ણઐયર એવા ખાસ જજ ત્યારે હતા. સુપ્રીમ કોર્ટના એ વેકેશન જજ હતા. સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને મંજૂર રાખ્યો એટલે કે ઇંદિરા ગાંધી હારી ગયા અને સત્તા છોડવી પડે એવું થયું. સંજય ગાંધીએ ઇંદિરા ગાંધીને ખુરશી બચાવવા મોટો દાવ રમવાની સલાહ આપી એટલે કે વહાલા દિકરાએ હુકમ કર્યો એમ સમજો ને !
ત્યારની દેશની રાજકીય સ્થિતિ સમજવા માટે એ પહેલાના ઇતિહાસમાં ડોકિયું કરવું જરૃરી છે.ઇંદિરા ગાંધી 'ગરીબી હટાઓ'નો નારો લગાવીને ૧૯૭૧ની લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી ચૂંટાઈ આવ્યા એટલે એમની પાસેથી ઘણી આશાઓ હતી. પણ લગભગ દોઢ વર્ષમાં જ ઇદિરા ગાંધીનો 'ગરીબી હટાઓ'નો ફુગ્ગો ફૂટી ગયો. મોંઘવારી, ભ્રષ્ટાચાર, અત્યાચાર વગેરે એવા વધી ગયા કે જનતા ગળે આવી ગઈ.
ઇંદિરાના જયજયકારના બદલે મુર્દાબાદના નારા થવા લાગ્યા. આંદોલનો થવા લાગ્યા. રાષ્ટ્રીય આંદોલનનું નેતૃત્વ જયપ્રકાશ નારાયણે લીધું એ તો એમના વતન બિહારમાં હતા અને રાજકારણથી નિવૃત્ત થયેલા. રાજ્યોમાં છૂટાછવાયા આંદોલનો ચાલતા હતા એને રાષ્ટ્રીય રૃપ અપાયું અને જયપ્રકાશ નારાયણને એની આગેવાની અપાઈ. એટલે મોંઘવારી અને ઇંદિરા ગાંધી વિરૃદ્ધનું આંદોલન રાષ્ટ્રવ્યાપી બનવા લાગ્યું.
એ આંદોલનનું સૂત્ર (નારો) હતું 'સંપૂર્ણ ક્રાંતિ' આંદોલન અહિંસક હતું અને લોકશાહી ઢબનું હતું એમાં વિદ્યાર્થીઓ, યુવાનો, વિરોધ પક્ષો (ભાજપનું કોઈ સ્થાન ત્યારે નહોતું પણ સમાજવાદી પક્ષ જેવા ઘણા પક્ષો હતા.) ગાંધીવાદીઓ વગેરે જોડાયેલા હતા.
ઇંદિરા ગાંધી એ આંદોલનકારીઓ, જયપ્રકાશ નારાયણ વગેરે સાથે હાથ મિલાવીને કામ કરી શકે તેમ હતું પણ સંજય ગાંધીએ એમ ન થવાદીધું અને સંજયે પોતાના સ્વભાવ મુજબ આંદોલનને કચડી નાખવાનો વિચાર ઇંદિરાને આપ્યો.
સુપ્રિમ કોર્ટનો ચુકાદો ૨૪ જૂને સાંભળીને ઇંદિરા ગાંધી નિરાશ થયા પરંતુ બીજે દિવસે એમને એક બહાનું ઇમરજન્સી નાખવા માટે મળી ગયું. ૨૫ જૂને દિલ્લીના રામલીલા મેદાનમાં આંદોલનના ટેકામાં મોટી સભા હતી. એમાં જયપ્રકાશનું ભાષણ થયું. ભાષણમાં એમણે જે કાંઈ કહ્યું એને ઇંદિરા સરકારે મારી મચડીને રજૂ કર્યું. ઇંદિરાએ આરોપ મૂક્યો કે જયપ્રકાશ નારાયણ લશ્કરમાં બળવો કવરા ઉશ્કેરે છે એટલે આંતરિક સંરક્ષણ માટે ઇમરજન્સી નાખવી પડશે. ઇંદિરા ગાંધીના નિર્ણયના ટેકામાં હરિયાણાના મુખ્યપ્રધાન ચૌધરી બંસીલાલ બસો ભરી ભરીને ભાડુતી માણસો ઠાલવતા હતા. એ માટે દિલ્લી મ્યુનિ.ની બસોનો છડેચોક ગેરઉપયોગ કરાતો હતો.
જયપ્રકાશ નારાયણની સભા પહેલાં જ વડાપ્રધાન ઇંદિરા ગાંધી રાષ્ટ્રપતિ ફખરૃદ્દીન અલી અહમદને મળવા ગયા. એમની સાથે બંગાળના ત્યારના મુખ્યપ્રધાન સિદ્ધાર્થ શંકર રે હતા. એ બહુ મુત્સદ્દી ગણાતા ઇંદિરા ગાંધીએ એમને પૂછ્યું કે, 'પ્રધાનમંડળની મીટીંગ બોલાવ્યા વિના ઇમરજન્સી કેવી રીતે લાગુ કરી શકાય ? એનો કાયદેસરનો રસ્તો શોધી કાઢો.' સિદ્ધાર્થ શંકર રેએ થોડોક વખત માંગીને સાંજે એ રસ્તો બતાવી દીધો. એના આધારે ઇમરજન્સી જાહેર કરીને એના હુકમ ઉપર રાષ્ટ્રપતિની સહી કરાવી લીધી. આવી સહી કરવા રાષ્ટ્રપતિ ફખરૃદ્દીન અલી અહમદ રાજી નહોતા પણ ઇંદિરાના દબાણથી એમણે સહી કરી.
૨૬ જૂન, ૧૯૭૫ના દિવસે વહેલી સવારે ઇંદિરાએ પ્રધાનમંડળના સભ્યોને જગાડી જગાડીને મીટીંગ કરી જેમાં એમણે ઇમરજન્સી લાગુ કર્યાની જાહેરાત કરી. બધા પ્રધાનોમાંથી ફક્ત એકલા સરદાર સ્વર્ણસિંહે ધીમા અવાજે પોતાની નારાજગી જણાવેલી.
ઇમરજન્સી દરમ્યાન સરકારી તંત્રના અત્યાચાર દાદાગીરી અમાપ થઈ ગયા.
ઇમરજન્સીમાં જ ઇંદિરાએ ચૂંટણીઓની જાહેરાત કરી. એને એમ કે લોકો એને જ ચૂંટશે પણ કોંગ્રેસ સામે બધા જ વિરોધ પક્ષોએ ભેગા થઈને મોરચો રચ્યો જેથી કોંગ્રેસ હારી અને મોરારજીભાઈ દેસાઈના વડાપ્રધાનપદમાં બિનકોંગ્રેસી પક્ષોની જનતા સરકાર રચાઈ. ઇમરજન્સી દરમિયાન ઇંદિરા અને કોંગ્રેસે કરેલા કરતુતો વિષે મોરારજીભાઈએ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ જે. સી. શાહના પ્રમુખપદે એક સમિતિ રચવામાં આવી. ૧૯૭૭માં ચૂંટણી પછી જનતા પક્ષની એ સરકાર ઇમરજન્સી પછીની પહેલી સરકાર હતી એ સરકાર જનતાએ જ બનાવેલી. ઇંદિરા ગાંધીની ઇમરજન્સી પછીની લોકશાહીવાદી એ સરકાર હતી. ૧૯૭૫થી ૧૯૭૭ દરમ્યાન બે વર્ષના ઇમરજન્સી ગાળા માટે જેમની ફરિયાદો હતી એની તપાસ કરવાનુંકામ એ શાહ પંચે કરવાનું હતું. લગભગ ૪૮,૦૦૦ ફરિયાદો પંચને મળી જેમાંથી ૪૬,૨૬૧ ફરિયાદો તપાસને લાયક તારવવામાં આવી. કેટલીક ફરિયાદો રાજ્યોની સરકારોને આપવામાં આવી. એ રીતે શાહ પંચ પાસે ૩૭,૮૨૯ ફરિયાદો તપાસ માટે રહી. શાહ પંચની રચના જનતા સરકારે એટલે મોરારજી સરકારે ૧૯૭૭ના ૨૮મેએ કરેલી. તપાસ પંચ રચવા અંગેના કાયદા નીચે એની રચના કરવામાં આવેલી. પંચે પહેલો રિપોર્ટ ૧૧ માર્ચ, ૧૯૭૮ના રોજ આપ્યો. બીજો રિપોર્ટ ૨૦ એપ્રિલ ૧૯૭૮ના રોજ આપ્યો. એ સંપૂર્ણ રિપોર્ટ ૫૩૨ પાનાનો હતો જેના ૨૬ પ્રકરણો હતા.
મોરારજીભાઈએ એ રિપોર્ટ ઉપર કામકાજ કરવા એક સમિતિ બનાવી એના ચેરમેન જેઓ અગાઉ ઘણા ઠેકાણે રાજ્યપાલ રહેલા અને એ પહેલા કેન્દ્રના ગૃહ ખાતાના સેક્રેટરી રહેલા એ એલ. પી. સિંહને બનાવ્યા.
બસ પછી વાત અટકી ગઈ કારણ કે મોરારજી દેસાઈની સરકાર આપસના ખટરાગ (શંભુમેળાની સરકાર હતી.) ન ટકી. ચૌધરી ચરણસિંહ અનેએમનો પક્ષ લોકદળ જનતા સરકારમાં હતા જ. ચરણસિંહે સરકારને દગો દીધો પરિણામે મોરારજીભાઈની સરકાર ૧૫, જુલાઈ ૧૯૭૯ના રોજ ઉથલી પડી એટલે ચરણસિંહ કોંગ્રેસના ટેકાથી વડાપ્રધાન થયા પણ એ સંસદ એક દિવસ માટે પણ બોલાવી શકી નહીં. છેવટે ચરણસિંહની સરકાર અને લોકસભાને વિખેરી નાખવામાં આવ્યા અને વચગાળાની ચૂંટણીઓ થઈ જેમાં ઇન્દિરા ગાંધી વિજયી થયા. ૧૯૮૦માં ઇંદિરા ગાંધી ફરી સત્તામાં આવ્યા અને એમણે પહેલું કામ ઇમરજન્સીમાં કરેલા કરતુતો વિષેના શાહ પંચનો જે અહેવાલ હતો તેનો નાશ કરવાનું કર્યું.
આવી છે ઇમરજન્સીની કથા એ ઇમરજન્સીમાં જેમને સહન કરવું પડેલું એમાંના કેટલાક આજે નથી અને કેટલાક મુખ્યપ્રધાન અને વડાપ્રધાન છે.
- ગુણવંત છો. શાહ
- ઇમરજન્સી એટલે શું ? - એ શા માટે નાંખેલી ?
- નવી પેઢી જેના વિષે જાણતી નથી અને જૂની પેઢીને જેની યાદ એક દુઃસ્વપ્ન જેવી છે
આઝાદ ભારતના ઇતિહાસમાં જેમ ગાંધીજીને ગોળી મારી કે ઇંદિરા ગાંધીને ગોળી મારી કે રાજીવ ગાંધીને બોમ્બથી માર્યા વગેરે દિવસો કાળા અક્ષરે લખાયેલા છે એમ આ દિવસ પણ કાળા અક્ષરે લખાયેલો છે કારણ કે તે દિવસે ત્યારના વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી કટોકટી લાદી હતી.
ઇમરજન્સી એટલે લોકશાહી આપણા દેશમાં છે એનો નાશ. લોકશાહીમાં જે બોલવાની છૂટ છે, છાપવાની છૂટ છે, છૂટથી બોલી ન શકો, છૂટથી હરીફરી ન શકો, છૂટથી લખી વાંચી ન શકો.
દેશ જ્યારે આંતરિક કે બાહ્ય ભયમાં હોય ત્યારે ખાસ તો ઇમરજન્સી સરકારો નાખતી હોય છે. આપણા દેશમાં ૧૯૭૫માં ઇંદિરા ગાંધીએ ઇમરજન્સી લાદેલી. નવી પેઢીને પ્રશ્ન થશે અને જૂની પેઢીને પણ યાદ નહીં હોય કે ઇમરજન્સી કેમ લાગુ કરેલી ?
ઇમરજન્સી ૨૫, જૂન ૧૯૭૫ની મધરાતથી લાગુ કરવામાં આવેલી ત્યારે જયપ્રકાશ નારાયણ જનતાના એટલે દેશના લોકપ્રિય નેતા હતા. સત્તામાં ઇંદિરા ગાંધી એટલે કે કોંગ્રેસ હતી. ૧૯૭૧માં ચૂંટણીઓ થયેલી એમાં એ રાયબરેલીમાંથી લોકસભામાં ચૂંટાયેલા એમની સામે રાજનારાયણ નામના સમાજવાદી નેતા ઉભેલા. લાલુપ્રસાદ યાદવ જેવા જોકર જેવા એ નેતા હતા પણ લોકપ્રિય હતા એ રાજનારાયણ પણ હારી ગયેલા એમણે એ ચૂંટણીમાં ધાંધલ ધમાલ કરવાના અને ઇંદિરાએ સત્તાનો ઉપયોગ કરવાના આક્ષેપો કરીને ચૂંટણી રદ કરવાનો કેસ અલ્હાબાદ હાઇકોર્ટમાં દાખલ કરેલો. એ વખતે કેસના ચુકાદાનો સમય નજદીક આવ્યો એટલે રાજકીય વર્તુળમાં અને ખાસ કરીને કોંગ્રેસી વર્તુળમાં ચર્ચા વિચારણા ચાલી કે આ કેસ માનો કે રાજનારાયણ જીતી જાય અને ઇંદિરા ગાંધી હારી જાય તો શું થાય ?
એટલે ફરી ચૂંટણી થાય અને એમાં માનો કે, ઇંદિરા ગાંધી જ હારી જાય તો શું થાય ?
એ વખતે રાહુલ ગાંધીના પિતા અને સોનિયા ગાંધીના પતિ રાજીવ ગાંધીનો નાનો ભાઈ તથા મેનકા ગાંધીનો પતિ અને વરૃણ ગાંધીનો પિતા સંજય ગાંધી રાજકારણમાં સક્રિય હતો. રાજીવ ગાંધી રાજકારણમાં નહોતા સંજય ગાંધીની નજર ઇંદિરાના વારસ તરીકે વડાપ્રધાનની ખુરશી ઉપર હતી એટલે કોર્ટમાં ઇંદિરા ગાંધી હારી જાય એ સંજય ગાંધીને કે ઇંદિરા ગાંધીને પરવડે તેમ નહોતું. વડાપ્રધાન પદ ઉપર ગમે તેમ કરીને ચીટકી રહેવાની એમની દાનત જાણીતી હતી. કોર્ટના ચુકાદાની રાહ જોવાનું નક્કી કર્યું.
૧૨ જૂન, ૧૯૭૫ના સવારના લગભગ ૧૦ વાગે અલ્હાબાદ હાઇકોર્ટના જજ જગમોહન સિંહાએ પોતાનો ચુકાદો આપ્યો. રાજનારાયણ જીત્યા અને ઇંદિરા હાર્યા. લોકસભાનું એમનું સભ્યપદ છ વર્ષ સુધી ચાલી ગયું એવો ચુકાદો અપાયો. એ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જવા માટે ૧૨ દિવસની મુદત આપી જો કે, એ વખતે કોર્ટમાં વેકેશન હતું પરંતુ કોર્ટોના નિયમ પ્રમાણે ખાસ જરૃરી કેસ માટે એક જજ હોય છે. વી. આર. કૃષ્ણઐયર એવા ખાસ જજ ત્યારે હતા. સુપ્રીમ કોર્ટના એ વેકેશન જજ હતા. સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને મંજૂર રાખ્યો એટલે કે ઇંદિરા ગાંધી હારી ગયા અને સત્તા છોડવી પડે એવું થયું. સંજય ગાંધીએ ઇંદિરા ગાંધીને ખુરશી બચાવવા મોટો દાવ રમવાની સલાહ આપી એટલે કે વહાલા દિકરાએ હુકમ કર્યો એમ સમજો ને !
ત્યારની દેશની રાજકીય સ્થિતિ સમજવા માટે એ પહેલાના ઇતિહાસમાં ડોકિયું કરવું જરૃરી છે.ઇંદિરા ગાંધી 'ગરીબી હટાઓ'નો નારો લગાવીને ૧૯૭૧ની લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી ચૂંટાઈ આવ્યા એટલે એમની પાસેથી ઘણી આશાઓ હતી. પણ લગભગ દોઢ વર્ષમાં જ ઇદિરા ગાંધીનો 'ગરીબી હટાઓ'નો ફુગ્ગો ફૂટી ગયો. મોંઘવારી, ભ્રષ્ટાચાર, અત્યાચાર વગેરે એવા વધી ગયા કે જનતા ગળે આવી ગઈ.
ઇંદિરાના જયજયકારના બદલે મુર્દાબાદના નારા થવા લાગ્યા. આંદોલનો થવા લાગ્યા. રાષ્ટ્રીય આંદોલનનું નેતૃત્વ જયપ્રકાશ નારાયણે લીધું એ તો એમના વતન બિહારમાં હતા અને રાજકારણથી નિવૃત્ત થયેલા. રાજ્યોમાં છૂટાછવાયા આંદોલનો ચાલતા હતા એને રાષ્ટ્રીય રૃપ અપાયું અને જયપ્રકાશ નારાયણને એની આગેવાની અપાઈ. એટલે મોંઘવારી અને ઇંદિરા ગાંધી વિરૃદ્ધનું આંદોલન રાષ્ટ્રવ્યાપી બનવા લાગ્યું.
એ આંદોલનનું સૂત્ર (નારો) હતું 'સંપૂર્ણ ક્રાંતિ' આંદોલન અહિંસક હતું અને લોકશાહી ઢબનું હતું એમાં વિદ્યાર્થીઓ, યુવાનો, વિરોધ પક્ષો (ભાજપનું કોઈ સ્થાન ત્યારે નહોતું પણ સમાજવાદી પક્ષ જેવા ઘણા પક્ષો હતા.) ગાંધીવાદીઓ વગેરે જોડાયેલા હતા.
ઇંદિરા ગાંધી એ આંદોલનકારીઓ, જયપ્રકાશ નારાયણ વગેરે સાથે હાથ મિલાવીને કામ કરી શકે તેમ હતું પણ સંજય ગાંધીએ એમ ન થવાદીધું અને સંજયે પોતાના સ્વભાવ મુજબ આંદોલનને કચડી નાખવાનો વિચાર ઇંદિરાને આપ્યો.
સુપ્રિમ કોર્ટનો ચુકાદો ૨૪ જૂને સાંભળીને ઇંદિરા ગાંધી નિરાશ થયા પરંતુ બીજે દિવસે એમને એક બહાનું ઇમરજન્સી નાખવા માટે મળી ગયું. ૨૫ જૂને દિલ્લીના રામલીલા મેદાનમાં આંદોલનના ટેકામાં મોટી સભા હતી. એમાં જયપ્રકાશનું ભાષણ થયું. ભાષણમાં એમણે જે કાંઈ કહ્યું એને ઇંદિરા સરકારે મારી મચડીને રજૂ કર્યું. ઇંદિરાએ આરોપ મૂક્યો કે જયપ્રકાશ નારાયણ લશ્કરમાં બળવો કવરા ઉશ્કેરે છે એટલે આંતરિક સંરક્ષણ માટે ઇમરજન્સી નાખવી પડશે. ઇંદિરા ગાંધીના નિર્ણયના ટેકામાં હરિયાણાના મુખ્યપ્રધાન ચૌધરી બંસીલાલ બસો ભરી ભરીને ભાડુતી માણસો ઠાલવતા હતા. એ માટે દિલ્લી મ્યુનિ.ની બસોનો છડેચોક ગેરઉપયોગ કરાતો હતો.
જયપ્રકાશ નારાયણની સભા પહેલાં જ વડાપ્રધાન ઇંદિરા ગાંધી રાષ્ટ્રપતિ ફખરૃદ્દીન અલી અહમદને મળવા ગયા. એમની સાથે બંગાળના ત્યારના મુખ્યપ્રધાન સિદ્ધાર્થ શંકર રે હતા. એ બહુ મુત્સદ્દી ગણાતા ઇંદિરા ગાંધીએ એમને પૂછ્યું કે, 'પ્રધાનમંડળની મીટીંગ બોલાવ્યા વિના ઇમરજન્સી કેવી રીતે લાગુ કરી શકાય ? એનો કાયદેસરનો રસ્તો શોધી કાઢો.' સિદ્ધાર્થ શંકર રેએ થોડોક વખત માંગીને સાંજે એ રસ્તો બતાવી દીધો. એના આધારે ઇમરજન્સી જાહેર કરીને એના હુકમ ઉપર રાષ્ટ્રપતિની સહી કરાવી લીધી. આવી સહી કરવા રાષ્ટ્રપતિ ફખરૃદ્દીન અલી અહમદ રાજી નહોતા પણ ઇંદિરાના દબાણથી એમણે સહી કરી.
૨૬ જૂન, ૧૯૭૫ના દિવસે વહેલી સવારે ઇંદિરાએ પ્રધાનમંડળના સભ્યોને જગાડી જગાડીને મીટીંગ કરી જેમાં એમણે ઇમરજન્સી લાગુ કર્યાની જાહેરાત કરી. બધા પ્રધાનોમાંથી ફક્ત એકલા સરદાર સ્વર્ણસિંહે ધીમા અવાજે પોતાની નારાજગી જણાવેલી.
ઇમરજન્સી દરમ્યાન સરકારી તંત્રના અત્યાચાર દાદાગીરી અમાપ થઈ ગયા.
ઇમરજન્સીમાં જ ઇંદિરાએ ચૂંટણીઓની જાહેરાત કરી. એને એમ કે લોકો એને જ ચૂંટશે પણ કોંગ્રેસ સામે બધા જ વિરોધ પક્ષોએ ભેગા થઈને મોરચો રચ્યો જેથી કોંગ્રેસ હારી અને મોરારજીભાઈ દેસાઈના વડાપ્રધાનપદમાં બિનકોંગ્રેસી પક્ષોની જનતા સરકાર રચાઈ. ઇમરજન્સી દરમિયાન ઇંદિરા અને કોંગ્રેસે કરેલા કરતુતો વિષે મોરારજીભાઈએ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ જે. સી. શાહના પ્રમુખપદે એક સમિતિ રચવામાં આવી. ૧૯૭૭માં ચૂંટણી પછી જનતા પક્ષની એ સરકાર ઇમરજન્સી પછીની પહેલી સરકાર હતી એ સરકાર જનતાએ જ બનાવેલી. ઇંદિરા ગાંધીની ઇમરજન્સી પછીની લોકશાહીવાદી એ સરકાર હતી. ૧૯૭૫થી ૧૯૭૭ દરમ્યાન બે વર્ષના ઇમરજન્સી ગાળા માટે જેમની ફરિયાદો હતી એની તપાસ કરવાનુંકામ એ શાહ પંચે કરવાનું હતું. લગભગ ૪૮,૦૦૦ ફરિયાદો પંચને મળી જેમાંથી ૪૬,૨૬૧ ફરિયાદો તપાસને લાયક તારવવામાં આવી. કેટલીક ફરિયાદો રાજ્યોની સરકારોને આપવામાં આવી. એ રીતે શાહ પંચ પાસે ૩૭,૮૨૯ ફરિયાદો તપાસ માટે રહી. શાહ પંચની રચના જનતા સરકારે એટલે મોરારજી સરકારે ૧૯૭૭ના ૨૮મેએ કરેલી. તપાસ પંચ રચવા અંગેના કાયદા નીચે એની રચના કરવામાં આવેલી. પંચે પહેલો રિપોર્ટ ૧૧ માર્ચ, ૧૯૭૮ના રોજ આપ્યો. બીજો રિપોર્ટ ૨૦ એપ્રિલ ૧૯૭૮ના રોજ આપ્યો. એ સંપૂર્ણ રિપોર્ટ ૫૩૨ પાનાનો હતો જેના ૨૬ પ્રકરણો હતા.
મોરારજીભાઈએ એ રિપોર્ટ ઉપર કામકાજ કરવા એક સમિતિ બનાવી એના ચેરમેન જેઓ અગાઉ ઘણા ઠેકાણે રાજ્યપાલ રહેલા અને એ પહેલા કેન્દ્રના ગૃહ ખાતાના સેક્રેટરી રહેલા એ એલ. પી. સિંહને બનાવ્યા.
બસ પછી વાત અટકી ગઈ કારણ કે મોરારજી દેસાઈની સરકાર આપસના ખટરાગ (શંભુમેળાની સરકાર હતી.) ન ટકી. ચૌધરી ચરણસિંહ અનેએમનો પક્ષ લોકદળ જનતા સરકારમાં હતા જ. ચરણસિંહે સરકારને દગો દીધો પરિણામે મોરારજીભાઈની સરકાર ૧૫, જુલાઈ ૧૯૭૯ના રોજ ઉથલી પડી એટલે ચરણસિંહ કોંગ્રેસના ટેકાથી વડાપ્રધાન થયા પણ એ સંસદ એક દિવસ માટે પણ બોલાવી શકી નહીં. છેવટે ચરણસિંહની સરકાર અને લોકસભાને વિખેરી નાખવામાં આવ્યા અને વચગાળાની ચૂંટણીઓ થઈ જેમાં ઇન્દિરા ગાંધી વિજયી થયા. ૧૯૮૦માં ઇંદિરા ગાંધી ફરી સત્તામાં આવ્યા અને એમણે પહેલું કામ ઇમરજન્સીમાં કરેલા કરતુતો વિષેના શાહ પંચનો જે અહેવાલ હતો તેનો નાશ કરવાનું કર્યું.
આવી છે ઇમરજન્સીની કથા એ ઇમરજન્સીમાં જેમને સહન કરવું પડેલું એમાંના કેટલાક આજે નથી અને કેટલાક મુખ્યપ્રધાન અને વડાપ્રધાન છે.
- ગુણવંત છો. શાહ
Source :-
મૂળ લેખ વાચવા અહિયાં ક્લિક કરો >>> ગુજરાત સમાચાર 



